મોરબીમાં નવજાત શિશુને દાટી દેનાર દંપતી ઝડપાયું
નિષ્ઠુર માતા-પિતાએ જમીનમાં દાટી દીધી જીવિત બાળકી
25 દિવસથી નાસતા-ફરતા હતા બાળકીના માતા-પિતા
બાળક પોતાનું નહિ હોવાનું પતિને શંકા હતી
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટંકારાના ઘુનડા ગામ નજીક લક્ષદીપ કારખાના પાસેની વાડીમાંથી એક જીવિત નવજાત શિશુ મળી આવ્યું હતું. સ્થાનિક લોકોને બાળકના રડવાનો અવાજ સંભળાતા તેમણે જમીન ખોદીને બાળકને બહાર કાઢ્યું હતું. પોલીસે આરોપી એવા માતાપિતા દંપતિને ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ નીચેથી ઝડપી પાડ્યા હતા.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં બાળકને દાટી દેવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસે આરોપી દંપતિને ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ નીચેથી ઝડપી પાડ્યા હતા. ઘુનડા ગામ નજીક લક્ષદીપ કારખાના પાસેની વાડીમાં સ્થાનિક લોકોને બાળકના રડવાનો અવાજ સંભળાતા તેમણે જમીન ખોદીને બાળકને બહાર કાઢ્યું હતું. બાળકને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. બાળકના શરીર પર ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નામ લખેલું હોવાથી તે દિશામાં તપાસ કરવામાં આવી હતી. એલસીબીના પીએસઆઇ બી.ડી. ભટ્ટના જણાવ્યા મુજબ, આરોપી પતિને શંકા હતી કે આ બાળક પોતાનું નથી. આ કારણે દંપતિએ બાળકને જન્મ આપ્યા બાદ તરત જ ત્યજી દેવાનો નિર્ણય કર્યો હતો. હાલ ટંકારા પોલીસે આરોપી દંપતિના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
તપાસમાં ખુલાસો થયો કે આરોપી રમેશને પત્ની દક્ષાના ચારિત્ર્ય પર શંકા હતી જેને પગલે બાળકી પોતાની ન હોવાનું રમેશ માનતો હતો. જેને પગલે આ બાળકની માતા દક્ષાબેન રમેશભાઇ ઠાકોર અને પિતા રમેશભાઈ પ્રેમજીભાઈ ઠાકોરએ બાળકીનું મોઢુ બહાર રહે તે રીતે મીઠુ નાંખી દાટી હતી, બંને આરોપીઓ બનાસકાંઠા જિલ્લાના ભાભરના વતની છે. પોલીસે આરોપી એવા માતાપિતા દંપતિને ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ નીચેથી ઝડપી પાડ્યા હતા. બાળકીના માતા-પિતા બંને આરોપીઓ 25 દિવસથી નાસતા-ફરતા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી