સુરતમાં પાટીદારોની સંકલન મિટીંગ યોજાઈ
ભાવનગરમાં વૃદ્ધ ખેડૂત પર હુમલો મામલો
100થી વધુ ગાડીઓનો કાફલો કાળાતળાવ જવા રવાના
હુમલાને લઈ પાટીદાર અગ્રણીઓમાં ભારે આક્રોશ
સુરતમાં પાટીદારોની સંકલન મિટીંગ યોજાઈ હતી જેમાં ભાવનગરના કાળાતળાવ ગામમાં ખેડૂત પર થયેલા હુમલાનો વિરોધ કરી સુરતથી 100થી વધુ કારના કાફલા સાથે ભાવનગર જઈ વિરોધ કરાશે તેમ નક્કી કરાયુ હતું.
સુરતના કતારગામ ખાતે આવેલ ફાર્મમાં પાટીદાર સેવા સંઘ દ્વારા સંકલન મીટીંગનુ આયોજન કરાયુ હતું. આ મીટીંગમાં ભાવનગરના કાળા તળાવ ગામમાં ખેડૂત પર કરાયેલા જીવલેણ હુમલાને લઈ વિરોધ કરાયો હતો. અને અસામાજિક તત્વો દ્વારા અભદ્ર ભાષામાં ગાળો આપી હુમલો કરાયો હોય જેને લઈ પાટીદાર અગ્રણીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સંકલન મીટીંગ બાદ 100થી વધુ કારના કાફલા સાથે પાટીદરો ભાવનગરના કાળાતળાવ જશે અને ત્યાં જઈ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરશે તેમ જણાવાયુ હતું.
