સુરત કતારગામની અંકુર વિદ્યાભવનનું ધોરણ 10 નું પરિણામ

Featured Video Play Icon
Spread the love

સુરત કતારગામની અંકુર વિદ્યાભવનનું ધોરણ 10 નું પરિણામ
ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ
આજે જાહેર થયેલ પરિણામમાં સુરતનું પરિણામ 86.20 ટકા

આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા , જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24 ટકા પરિણામ આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68 ટકા આગળ રહી બાજી મારી છે. જેમાં સુરતની કતારગામની અંકુર વિદ્યાભવનનું ધોરણ 10 નું પરિણામ સારું આવતા શાળા સંચાલકો અને વાલીઓમાં ખુશી જોવા મળી

આજે જાહેર થયેળ ધોરણ 10 નું બોર્ડનું પરિણમે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org અને વ્હોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ મેળવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં સુરતનું પરિણામ 86.20 % આવ્યું છે જેમાં સુરતની કતારગામની અર્ચના વિદ્યાભવનનું ધોરણ 10 નું પરિણામ સારું આવતા શાળા સંચાલકો અને વાલીઓમાં ખુશી જોવા મળી છે તેમજ દર બે બાળકોએ એક A1 અને A2 વિધ્યાર્થીએ સફળતા મળતા કતારગામ વિસ્તારની સારું પરિણામ આપતી શાળા અંકુર વિદ્યાભવન બની છે

27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ-10 માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગણિતમાં 16.53%,, વિજ્ઞાનમાં 12.16% અને ગુજરાતીમાં 8.71%, વિદ્યાર્થી નાપાસ થયા છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *