સુરતમાં ફરી તંત્રની બેદરકારીના સામે આવી છે
પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા
3 અને 4 ચાર મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ
સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો
સુરતમાં જ્યાં જુઓ ત્યાં ખોદકામ થઈ રહ્યુ છે ત્યારે લાલ દરવાજા વિસ્તારમાં ચાલી રહેલી ખોદકામની કામગીરી વચ્ચે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા હતા જો કે તંત્ર દ્વારા કલાકો સુધી કામગીરી ન કરાતા સ્થાનિકો સાથે વાહન ચાલકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં તંત્રની બેદરકારીના વારંવાર કિસ્સાઓ સામે આવે છે. ત્યારે લાલ દરવાજા વિસ્તારના છેલ્લા ત્રણ ચાર મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હોય જેને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. વાત એમ છે કે સુરતમાં હાલમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ વચ્ચે ખોદકામ થયુ છે જેને લઈ વાહન ચાલકો સાથે સ્થાનિકોને પણ અવરજવર માટે સમસ્યા ઉભી થઈ રહી છે ત્યારે લાલ દરવાજા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયુ હતું. ખોદકામ સમયે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા હતા. જો કે તંત્ર ઘોરનિદ્રામાં હોય છેલ્લા ત્રણ ચાર મહિનાથી લીકેજ પ્રોબ્લમ હોવા છતા કોઈ નિવેડો આવ્યો ન હોવાનો રોષ સાથે સ્થાનિકોએ જણાવ્યુ હતું. ત્યારે જોવુ રહ્યુ કે આ બેદરકારી દુર કરી તંત્ર ક્યારે કામગીરી કરશે.