સુરતમાં ઝોલાછાપ તબીબો યથાવત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઝોલાછાપ તબીબો યથાવત
એલસીબી ઝોન – 1 દ્વારા ઝોલાછાપ તબીબોને ઝડપી પાડ્યા
તેજબહાદુર નિષાદ અને પ્રશાંત માલાકારની ધરપકડ
બંને ઝોલાછાપ તબીબો ધોરણ 10 અને 12 પાસ
કોઈ પણ મેડિકલ ડિગ્રી વિના કરતા હતા એલોપેથી ની પ્રેક્ટિસ

સુરતમાંથી નકલી ડોક્ટર પકડાવવાનું યથાવત હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે અગાઉ નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ઝડાયા બાદ થોડા થોડા સમયે ઉંટવૈદ્ય પકડાઈ રહ્યા છે ત્યારે સુરતના નાયબ પોલીસ કમિશનર ઝોન વનની ટીમે વરાછા વિસ્તારમાંથી બે નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા હતાં.

સુરતના સ્લમ વિસ્તારોમાં લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનાર નકલી ડોક્ટરો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. અગાઉ સુરતમાંથી નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ સુરત પોલીસે આવા ઉંટવૈદ્યો સામે કાર્યવાહી તેજ કરી છે. ત્યારે નાયબ પોલીસ કમિશનર ઝોન વનની એલસીબીની ટીમે નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા હતાં. સુરત ઝોન વન એલસીબીની ટીમે પુણા વિસ્તારમાંથી નકલી ડોક્ટરોને તેમના ક્લિનીકમાંથી ઝડપી પાડ્યા હતાં. જેમાં પ્રશાંત માલાકર અને તેજ બહાદુર નિશાદ નકલી ડોક્ટર હોવાનુ સામે આવ્યુ હતું. નકલી ડોક્ટરો 10 અને 12 સુધી જ ભણ્યા હો યઅને ડોક્ટરની પ્રેક્ટિસ કરતા હોવાનુ સામે આવ્યા હતું. આરોપીઓ છેલ્લા 10 વર્ષથી સુરતમાં પ્રેક્ટીસ કરતા હોય હાલ તો આ મામલે એલસીબી ઝોન વનની ટીમે બન્ને નકલી ડોક્ટરો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *