મુસ્લીમ બિરાદરોના પવિત્ર મહોરમ તહેવાર નીમીત્તે તાજીયા
ભાવનગર શહેરના તમામ તાજીયા ઘોઘા બંદરખાતે ટાઢા કરવામાં આવ્યા
ભાવનગર શહેરના તમામ તાજીયા ઘોઘા બંદરખાતે ટાઢા કરવામાં આવ્યા
મુસ્લીમ બિરાદરોના પવિત્ર મહોરમ તહેવાર નીમીત્તે કરબલાના મહાન શહિદોની યાદમાં ભાવનગર શહેર માંથી ૩૪ જેટલા આકર્ષક અને કલાત્મક તાજીયા જુલુસ નીકળ્યા હતા. આ તમામ તાજીયાને દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર નજીકના ઘોઘા બંદર ખાતે ભાવનગર શહેરમાંથી ટ્રક માં લઈ જઈ બોટ મારફતે તાજીયાને મધદરીયે લઈ જઈ તમામ તાજીયા ટાઢા કરવામાં આવ્યા હતા. આ વેળાએ ઘોઘા મામલતદાર, મરીન પોલીસ, ઘોઘા પોલીસ, જી.એમ.બી., સહિતના સંબંધીત વિભાગના અધિકારી કર્મચારીઓએ સરાહનીય કામગીરી બજાવી હતી. અને ઘોઘા બંદર ખાતે તમામ પ્રાથમીક સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી…
