પહેલગામ હુમલામાં મોતને ભેટેલા સુરતની નીકળી અંતિમ યાત્રા
નવી સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
પરિવારજનોના હૈયાફાટ રૂદનથી છવાઈ ગમગીની
દેશભરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા
મંગળવારે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહીત ૨૬ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે દેશભરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે હુમલામાં મોતને ભેટેલા લોકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા અને પગલે 2૬ જેટલા લોકોના મોત થયા છે ત્યારે આતંકવાદીઓ સામે દેશભરમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ હોમ દ્વારા હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ અંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા એ જણાવ્યું હતું કે પહલગામની ઘટનાનો ખૂબ જ અફસોસ છે આતંકવાદીઓએ નિર્દોષોની જે હત્યા કરી છે તે આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવી જોઈએ આજે નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડીંગ ખાતે મૃતકોના આત્માને શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી