સુરતની સચીન પોલીસે આરોપીને પાસા હેઠળ ડિટેઈન કર્યા
પ્રોહીબીશનના નોંધપાત્ર ગુનામાં સંડોવાયેલા આરોપી
આરોપી ઓમપ્રકાશ કનૈયાલાલ લખારાની પાસા દરખાસ્ત
સુરતની સચીન પોલીસે પ્રોહીબીશનના નોંધપાત્ર ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ ડિટેઈન કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ પીએન વાઘેલા અને પીએસઆઈ એનડી ડામોરની ટીમે પ્રોહિબિશનના નોંધપાત્ર ગુનામાં સંડોવાયેલા આરોપી ઓમપ્રકાશ કનૈયાલાલ લખારાની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરના હુકમ બાદ મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો.
