સુરત પાલ ઉમરા બ્રિજ પાસે ઘર નજીક અસાજિક તત્વોથી પરિવાર ત્રાહિમામ

Featured Video Play Icon
Spread the love

સુરત પાલ ઉમરા બ્રિજ પાસે ઘર નજીક અસાજિક તત્વોથી પરિવાર ત્રાહિમામ
અસામાજિક તત્વોથી પરેશાન થઈ મીડિયાનો સહારો લીધો
પરિવારને ગંદી ગંદી ગાળો આપવામાં આવતી હોવાનો આરોપ

સુરતમાં પાલ ઉમરા વિસ્તારમાં આવેલ પટેલ સ્ટ્રીટમાં એક પરિવાર અસામાજિક તત્વોથી પરેશાન થઈ મીડિયાનો સહારો લીધો હતો..પાલ ઉમરા બ્રિજ નીચે પટેલ ફળિયામાં રહેતા એક પરિવારના ઘર નજીક પાનનો ગલ્લો આવેલો છે..જ્યાં મોડી રાત સુધી અસામાજિક તત્વોનો અડ્ડો જામેલો હોય છે..

આ અસામાજિક તત્વો દ્વારા પરિવારને ગંદી ગંદી ગાળો આપવામાં આવતી હોવાનો પરિવારનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે..આવતા જતા તેઓને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે..અને આ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવૈ તો અસામાજિક તત્વો દ્વારા પરિવારને ધમકી પણ આપવામાં આવી રહી છે.અને આ અંગે પરિવાર દ્વારા પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.તેમ છતાં કોઈ પગલા ના લેવાતા આખરે પરિવારે મીડિયા સમક્ષ રજુઆત કરી હતી..અને આ પાનનો ગલ્લો ઘર પાસેથી દૂર થાય તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *