અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ સુરત ડીઈઓ એક્શન મોડમાં
વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે શાળામાં શિસ્ત સમિતિની રચનાના આદેશ અપાયા
અમદાવાદની શાળામાં બનેલી વિદ્યાર્થિની હત્યાની ઘટના બાદ સુરત ડીઈઓ એકશનમાં હોય શિસ્ત સમિતિની રચનાના આદેશ અપાયા છે.
અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ સુરત ડીઈઓ એક્શન મોડમાં આવી ગયા છે. અને વિદ્યાર્થીઓની સલામતી-સુરક્ષા અંગે શાળામાં શિસ્ત સમિતિની રચના કરવા ડીઈઓએ આદેશ આપ્યા છે. સુરત સહિત જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પત્ર લખાયો છે અને તેમાં શાળામાં બાળકોની સલામતીની વ્યવસ્થા સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા બાબતે શાળાએ જરૂરી પગલા લેવાના રહેશે તેમ પણ જણાવાયુ હતું.
