સુરતના કતારગામ ખાતે પાટીદાર સમાજની દીકરીના આપઘાત મામલો
આપઘાત મામલે પાટીદાર સમાજના મોભીઓની કમિશનરને રજૂઆત
આવી ઘટના ફરી ન બને તેવી માંગ કરી
સુરતના કતારગામ ખાતે રહેતા પાટીદાર સમાજની 19 વર્ષીય ટ્યુશન શિક્ષકા દિકરીએ કરેલા આપઘાત મામલે પાટીદાર સમાજના મોભીઓએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજુઆત કરી હતી.
સુરતના કતારગામ ખાતે 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા દીકરીની આત્મહત્યા મામલે સમાજ માં સતત રોષ ભભૂકી રહ્યો છે અને પાટીદાર સમાજના મોભી ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતાં. જેમાં મુકેશ પટેલ, લાલજી પટેલ, મથુર સવાણી, વેલજી સેટા, કેશુભાઈ ગોટી, ધરમભાઇ લાઠીયા, જીવરાજ ધારૂકા સહિતના આગેવાનો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને આવી ઘટના ફરી ન બને તેવી માંગ કરી હતી.
