સુરતમાં રામનગર સેવા સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન
સિન્ધી સમાજની વિભાજન વિભીષિકા મૌન રેલીનું આયોજન
શાંતિપૂર્ણ રીતે પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સુરતમાં રામનગર સેવા સમિતિ દ્વારા સિન્ધી સમાજની વિભાજન વિભીષિકા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
સુરતમાં રામનગર સેવા સમિતિ દ્વારા સિન્ધી સમાજની વિભાજન વિભીષિકા મૌન રેલી યોજાઈ હતી. વિભાજન દરમિયાન લાખો લોકોએ વેઠેલી પીડા અને વિસ્થાપનની યાદને જીવંત રાખવા આ રેલીનું આયોજન કરાયું હતું. રામનગર ખાતે યોજાયેલી મૌન રેલીમાં સિન્ધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને શાંતિપૂર્ણ રીતે પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
