ગુજરાતમાં પાક નુકસાનીમાં સહાય અંગે કિસાન સંઘની પ્રતિક્રિયા
સરકારે જાહેર કરેલ સહાય અયોગ્ય: કિસાન સંઘ
ખેડૂતોએ આગળ આવવું પડશે: કિસાન સંઘ
ગુજરાતમાં કમોસમી માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયા બાદ કેન્દ્ર સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ આ રાહત પેકેજથી ખેડૂતોમાં સંતોષને બદલે ભારે નારાજગી અને નિરાશા જોવા મળી રહી છે. આ રાહત પેકેજ બાદ ખેડૂતોએ સરકાર સમક્ષ મુખ્યત્વે બે માંગણીઓ મૂકી છે. અમરેલીના ખાંભા ગીર સહિતના ખેડૂતોએ પાક નિષ્ફળ જતાં સંપૂર્ણ દેવા માફી કરવામાં આવે તેવી માંગ કરી છે. જસદણના ખેડૂતોની માંગ છે કે કમોસમી વરસાદમાં પલળી ગયેલી મગફળીને રિજેક્ટ ન કરવામાં આવે. જો મગફળી રિજેક્ટ થશે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એકંદરે, ખેડૂતોને થયેલા ભારે નુકસાનની સરખામણીમાં જાહેર થયેલી સહાયની રકમ અત્યંત ઓછી હોવાથી ખેડૂત વર્ગમાં સરકાર પ્રત્યે નારાજગીનો માહોલ છે.
ગુજરાત રાજ્યમાં થયેલા કમોસમી માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયા બાદ કેન્દ્ર સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ આ રાહત પેકેજથી ખેડૂતોમાં સંતોષને બદલે ભારે નારાજગી અને નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતો અને ખેડૂત સંગઠનોએ આ પેકેજને અપૂરતું અને ખેડૂતોની મજાક સમાન ગણાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ નેતાઓએ સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજને અપૂરતું ગણાવ્યું છે અને નિવેદન આપ્યું છે કે સરકારે જાહેર કરેલ પેકેજ ખેડૂતોની મજાક છે. તેમના મતે આ પેકેજથી ખેડૂતો નિરાશ થયા છે. આ જ પ્રકારે ભારતીય કિસાન સંઘ, ગીર સોમનાથના જિલ્લા મહામંત્રી રાજેશ પાનેલીયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે સરકારની જાહેરાતને ખેડૂતોની મશ્કરી ગણાવી છે અને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. કિસાન સંઘે સરકાર સમક્ષ ખેડૂતોનું 100 ટકા પાક ધિરાણ માફ કરવાની માંગ કરી છે. સંઘે જણાવ્યું છે કે આ વર્ષની શરૂઆતથી જ ખેડૂતોની માઠી દશા બેઠી છે અને બાગાયતી પાકમાં પણ કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે, છતાં સરકારે અપૂરતી સહાય જાહેર કરી છે.
ખેડૂતોની નારાજગીનું મુખ્ય કારણ સહાયની ઓછી રકમ છે. અમરેલીના ખાંભા ગીર વિસ્તારના ખેડૂતોએ, જ્યાં સતત આઠ દિવસના વરસાદથી 100 ટકા પાક નિષ્ફળ ગયો હતો, ત્યાં જાહેર થયેલ ₹10 હજાર કરોડના રાહત પેકેજને સામાન્ય’ ગણાવ્યું છે. ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે તેમણે વીઘા દીઠ 18 થી 20 હજારનો ખર્ચ પાક તૈયાર કરવામાં કર્યો છે. તેની સામે સરકાર દ્વારા વીઘા દીઠ માત્ર 3,500 થી 3,520 ની સહાય આપવામાં આવી છે. રાજકોટના જસદણમાં પણ ખેડૂતોની સમાન વ્યથા જોવા મળી છે. ખેડૂતોએ મગફળી તૈયાર કરવાના વીઘા દીઠ 20 હજારના ખર્ચ સામે માત્ર 3,520ની સહાય મળવાથી રાહત પેકેજમાં અન્યાય થયો હોવાનું જણાવ્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
