આતંકી હુમલા બાદ ભારતના સિંધુ જળ સંધિ રોકના નિર્ણયથી પાકિસ્તાન ફફડયું
આઈએસઆઈ એ કુખ્યાત આતંકી નેતા હાફિઝ સઈદનો જૂનો વીડિયો વાયરલ કર્યો
જો પાણી બંધ કરવામાં આવશે તો નદીમાં લોહી વહેશે
જમ્મુ કાશમીરમાં આતંકી હુમલા બાદ ભારત દ્વારા સિંધુ જળ સંધિ પર રોક લગાવવાની જાહેરાત બાદ પાકિસ્તાનમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી (ISI) એ કુખ્યાત આતંકવાદી નેતા હાફિઝ સઈદનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં તે ભારતને ધમકી આપી રહ્યો છે.
ભારત દ્વારા સિંધુ જળ સંધિ પર રોક લગાવવાની જાહેરાત બાદ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી (ISI) એ કુખ્યાત આતંકવાદી નેતા હાફિઝ સઈદનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં તે ભારતને ધમકી આપી રહ્યો છે. વીડિયોમાં સઈદ કહે છે, “જો ભારત પાણી રોકશે તો નદીઓમાં લોહી વહેશે.” આ ધમકી એવા સમયે આવી છે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર કડક પ્રતિબંધો લાદ્યા છે, જેમાં સિંધુ જળ સંધિ પર રોક લગાવવાનો પણ સમાવેશ થાય છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું હતું. સુરક્ષા પરિષદની બેઠક પછી, ભારતે પાકિસ્તાન સામે અનેક પ્રતિબંધોની જાહેરાત કરી, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ સિંધુ જળ સંધિ પર પ્રતિબંધ હતો. આ કરાર હેઠળ, ભારત અને પાકિસ્તાન વચ્ચે છ નદીઓના પાણીની વહેંચણીનું સંચાલન કરવામાં આવે છે. આ નિર્ણયની પાકિસ્તાનની કૃષિ અને અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડી શકે છે, કારણ કે તે મોટાભાગે આ નદીઓ પર નિર્ભર છે.
સઈદનો આ વીડિયો પાકિસ્તાનના આતંકવાદી ઇરાદાઓનો પર્દાફાશ કરે છે. વીડિયોમાં, તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો અને પાકિસ્તાનને ધમકી આપતો હતો. ભલે આ વીડિયો જૂનો છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તાન તેનો ઉપયોગ કરીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી