માંડવીના રાજપુત બોરી ગામે દીપડાએ વાછરડી ફાડી ખાધી.
આ ઘટનાને પગલે ખેડૂતો તથા લોકોમાં ભયનો માહોલ છવાયો
માંડવીના રાજપુત બોરી ગામે દીપડાએ વાછરડી ફાડી ખાધી. આ ઘટનાને પગલે ખેડૂતો તથા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
માંડવી તાલુકાના રાજપુત બોરી ગામે રહેતા સુરેન્દ્રસિંહ રણજીતસિંહ સાગડોત ના વાળાના ભાગે બાંધેલી વાછરડી ને દીપડાએ રાત્રિના બે થી ત્રણ કલાકે ફાડી ખાઈ પલાયન થઈ ગયો હતો. આ ઘટના બનતા ખેડૂતો તથા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જેથી વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં વહેલી તકે પાંજરું મુકાય એવી લોકમાં ઉઠવા પામી છે અને સરકાર દ્વારા યોગ્ય સહાય મળે એવી મીટ માંડી રહ્યા છે.
