બનાસકાંઠા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ગરમીની અસર દેખાઈ
ગરમીનો પારો ચડતા પાલનપુર સિવિલ દર્દીઓથી ઉભરાઈ.
સિવિલમાં ઝાડા-ઉલ્ટીના કેસોમાં એકાએક થયો વધારો
બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સવારે 25 અને બપોરે 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. આકરી ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ગરમીને કારણે ઝાડા-ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
બનાસકાંઠામાં ગરમીનું વધતા બપોરે 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. વધુ પડતી ગરમીના કારણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ગરમીને કારણે ઝાડા-ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. સુનિલ જોશીના જણાવ્યા મુજબ, પાલનપુરની બનાસ હોસ્પિટલમાં દિવસ દરમિયાન ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં દિવસમાં 50 થી 100 જેટલા દર્દીઓ ઝાડા ઉલટીના કારણે સારવાર માટે આવી રહ્યા છે. અત્યારે ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેમજ જો ઝાડા ઉલટી કે અન્ય બિમારીના લક્ષણો જણાવતા હોય તો નજીકની હોસ્પિટલમાં જઈ તબીબી સારવાર લઈ લેવી જોઈએ.
લોકો ગરમીથી બચવા એસી અને કૂલરનો સહારો લઈ રહ્યા છે. બહાર નીકળતી વખતે મોઢા પર દુપટ્ટો કે રૂમાલ બાંધીને નીકળે છે. ઠંડા પીણાંનો ઉપયોગ કરી ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડૉ. જોશીએ લોકોને સલાહ આપી છે કે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો ઝાડા-ઉલટી કે અન્ય બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી