સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હિરા ઉધોગકારો સાથે બેઠક કરી
ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા બાબતે બેઠક યોજાઈ
બેઠકમાં ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકીયા ઉપસ્થિત રહ્યા
ગૃહમંત્રીએ ઉદ્યોગકારોને ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ કરવાની અપીલ કરી
સુરતમાં ડાયમંડ ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. જેમાં ડાયમંડબુર્સના ચેરમેનએ ઉદ્યોગકારોને ડાયમંડ બુર્સમાંવેપાર શરૂ કરવા અપીલ કરી હતી.
સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હિરા ઉધોગકારો સાથે બેઠક યોજી વાતચીત કરી હતી. ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા બાબતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુરત ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતાં. તો ગૃહમંત્રીએ હિરા ઉદ્યોગકારોને ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ કરવાની અપીલ કરી હતી. ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થવાથી નાના વેપારીઓને ફાયદો થશે તેમ ગૃહરાજ્યમંત્રીએ કહ્યુ હતુ તો સાથે નજીવા દરે કેબિનો મળવાથી મોટો ફાયદો થશેતેમ પણ કહ્યુ હતું. તો વહેલામાં વહેલી તકે ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તેવી આશા પણ ગૃહરાજ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
