જીએસઆરટીસી ગોધરા વિભાગ ડેપો હાલોલ બસનું થયું અકસ્માત
દાહોદ નીલકંઠેશ્વર મંદિર ની સામે જીએસઆરટીસી બસનુ અકસ્માત
જીએસઆરટીસી ડ્રાઇવરની બેદરકારી ના કારણે મુસાફરનો જીવ જોખમમાં મુકાયો
રાજ્યમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ વચ્ચે વધુ એક એકસ્માતની ઘટના સામે આવી છે વાત એમ છે કે જીએસઆરટીસી ગોધરા વિભાગ ડેપો હાલોલ બસનું અકસ્માત સર્જાયું હતું. દાહોદ નીલકંઠેશ્વર મંદિરની સામે જીએસઆરટીસી બસનુ અકસ્માત સર્જાયું હતું. જીએસઆરટીસી ડ્રાઇવરની બેદરકારી ના કારણે મુસાફરનો જીવ જોખમમાં મુકાયો હતો. ડેપો ઇન્ચાર્જએ જણાવ્યું છે કે જીએસઆરટીસી હાલોલ ડેપો દ્વારા કડક પગલાં લેવામાં આવશે. મુસાફરોને નાની મોટી ઈજાઓ પહુંચી હતી.આ ઘટનામાં સદ્દનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી.