માંડવીમાં ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
માંડવીનું ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.30 ટકા પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 75.00 ટકા પરિણામ આવ્યું

માંડવીમાં શ્રી વી. એફ. ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવીનું ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.30 ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં 75.00 ટકા પરિણામ મેળવ્યું

વર્ષ 2024-25 બોર્ડનું પરિણામ તા. 05.05.25 ના રોજ જાહેર થયું હતું જેમાં શ્રી પ્રફુલ્લત્તા સેવા કર્મ ટ્રસ્ટ વ્યારા સંચાલિત શ્રી વી.એફ. ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવીના વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.30 ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં 75.00 ટકા પરિણામ મેળવ્યું. જેમાં સામાન્ય પ્રવાહમાં રાજપૂત કાજલબેન દિનેશભાઇએ 87.00 ટકા અને 96.48 PR સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ચૌહાણ તનિષ્ક સુનિલભાઈએ 76.15 ટકા અને 84.99 PR સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો. જે માટે શાળાના ટ્રસ્ટના પ્રમુખશ્રી ગજરાબેન એ. ચૌધરી તથા કેમ્પસ ડાયરેક્ટરશ્રી નાનસિંગભાઈ ચૌધરી, પૂર્વ આચાર્ય સિંગાભાઈ ચૌધરી તેમજ શાળાના આચાર્યશ્રી અતુલકુમાર બી. ચૌધરીએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકમિત્રોને શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *