સુરત અડાજણમાં મહિન્દ્રા કાર વર્કશોપમાં આગ,
આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
ર્કશોપમાં રહેલી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અડાજણ પાલ ગામમાં આવેલ મહિન્દ્રા કારના વર્ક શોપમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બને છે ત્યારે સુરતના અડાજણ પાલ ગામ ખાતે આવેલ મહિન્દ્રા શો રૂમના વર્ક શોપમાં કારમાં આગ લાગી હતી જેને લઈ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વર્કશોપમાં રહેલી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી ને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો.
