વરાછાની કે.પી.સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણા.
કે.પી.સંઘવી દ્વારા બનાવવામાં આવેલ કોર કમિટીએ સર્વે કર્યો.
12 પૈકી 8 હીરા વેપારીઓને મળી શકે છે રાહત.
સુરતના વરાછા ની કે.પી.સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણા નો મામલો.કે.પી.સંઘવી દ્વારા બનાવવામાં આવેલ કોર કમિટીએ સર્વે કર્યો હતી જેના આધારે 12 પૈકી 8 હીરા વેપારીઓને રાહત મળી શકે છે તેવી વાત સામે આવી છે.
સર્વેમાં હીરા વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનું સામે આવ્યું હતું.કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હીરા વેપારીઓ પરના ચેક રીટર્ન ના કેસ અંગે લેવામાં આવશે મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે.આઠ હીરા વેપારીઓ અને તેમના પરિવારે કે.પી.સંઘવી ડાયમંડ કંપનીના માલિકનો આભાર માન્યો હતો.અગાઉ 45 પૈકી 22 હીરા વેપારીઓને કંપનીએ આપી હતી રાહત.કોરોના બાદ આર્થિક નુકશાન જતા હીરા વેપારીઓએ નાદારી નોંધાવી હતીહીરા વેપારીઓએ કે.પી.સંઘવી ડાયમંડ કંપની પાસેથી રફ ની ખરીદી કરી હતી