જળ એ જ જીવન સૂત્ર સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન

Featured Video Play Icon
Spread the love

જળ એ જ જીવન સૂત્ર સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન
વરસાદી પાણીનો સંગ્રહ કરવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજાશે
જાગૃતિ અભિયાન સાથે લોક ડાયરાનું પણ આયોજન કરાયું

સુરતના વરાછા – કતારગામ જવેલર્સ એસોસિએશન તથા સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા જળ એ જ જીવન સૂત્ર સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે.વરસાદી પાણીનો સગ્રહ કરવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે

જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ , પરમાર્થ નિકેતન આશ્રમમાં સ્વામી ચિદાનંદ સરસ્વતીજી , પતંજલિ આર્યુવેદના અધ્યક્ષ બાબા રામદેવ , ગ્રીનલેબ ડાયમંડના મુકેશભાઈ પટેલ , દેસાઈ – જૈન ગ્રુપના જયેશભાઈ દેસાઈ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. જવેલર્સ એસોસિએશનના પારિવારિક સ્નેહમિલન સમારોહમાં પર્યાવરણની જાળવણી અને ભવિષ્ય માટે તેમજ ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે જળ એ જ જીવન છે એ સૂત્રને સાર્થક કરવા વરસાદી પાણીનો સંચય કરવા જળ સંચય જાગૃતિ અભિયાન સાથે લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે. આ સાથે વર્ષ ૨૦૨૫નો એવોર્ડ અર્પણ સમારોહ પણ આયોજિત કરવામાં આવ્યો છે. આ લોક ડાયરમાં કીર્તીદાન ગઢવી અને ઉર્વશી રાદડિયા ભજનની રમઝટ બોલાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે , વરાછા – કતારગામ જવેલર્સ એસોસિએશન તથા સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા અત્યાર સુધીમાં ૩૦૦૦ જેટલા બોર દત્તક લીધા છે જેમાં મોટા ભાગના બોર બનાવી દેવાયા છે. આ એસોસિએશન ગ્રુપ દ્વારા સામાજિક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *