રાજકોટમાં પીવાના પાણીના ROના જગ મગાવતાં હોય તો સાવધાન રહેજો.
જગનું પાણી તમારા સ્વાસ્થ્યનું દુશ્મન સાબિત થઈ શકે છે.
રાજકોટમાં 49માંથી 44 સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે મળ્યું.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સ્પેશિયલ ડ્રાઇવ યોજી પાણીના જગનું વિતરણ કરતાં ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી અને તેમાં 49 સ્થળેથી સેમ્પલ લઇને પરીક્ષણ કરવામાં આવતાં 44 સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોવાના કારણે તેના માલિકોને બરફ અને પાણીના જગ પીવાલાયક ન હોવાથી વેચાણ બંધ કરવા આદેશ કરી દીધો હતો
લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય તે પ્રકારનું પાણી વિતરણ જગ મારફત કરાતું હોવાનો રિપોર્ટ આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે રાજકોટ મનપાના સૂત્રોએ જણાવ્યા અનુસાર 49 સ્થળે દરોડા પાડી સેમ્પલ લીધા બાદ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. જેમાં 3 સ્થળના સેમ્પલના રિપોર્ટ એક્સેલન્ટ આવ્યા હતા. જ્યારે 2 સ્થળેથી રિપોર્ટ સેટિસફેક્ટરી, 5 સ્થળેથી ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ આવ્યા હતા. જ્યારે 39 સ્થળના રિઝલ્ટ અનસેટિસફેક્ટરી એટલે કે અસંતોષકારક ગણવામાં આવ્યા છે.
જાહેર કરાયેલા પરિણામો મુજબ માનવ મિનરલ વોટર, વિજય મિનરલ વોટર, લીઓ ફ્રેશ વોટરના પરિણામો એક્સેલન્ટ આવ્યા હતા. જ્યારે પ્રાંજલ વોટર સપ્લાય અને વાલજીભાઇ શિયાણીને ત્યાંથી લીધેલા સેમ્પલના પરિણામો સંતોષકારક આવ્યા હતા. જ્યારે જીજલ સેલ્સ, દિલીપસિંહ જાડેજા, દિલીપ વાળી, શીતલ મિનરલ વોટર અને દેવ વોટર સપ્લાયના રિઝલ્ટ ઇન્ટરમીડિએટ આવ્યા છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર ઈન્ટરમીડિએટ તેમજ અનસેટિસફેક્ટરી રિઝલ્ટ આવેલ તમામ પાણી/બરફ વિતરકોને વિતરણ ન કરવા તાકીદ કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી