નાસીરનગર ડિમોલેશન મામલે પાલિકા કચેરીએ મહત્વપૂર્ણ બેઠક
કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય ચર્ચા
એસઆઈટી વડા મીના ગજ્જરે તપાસ અંગે મૌન જાળવ્યું
મીડિયા સમક્ષ કોઈ સ્પષ્ટ માહિતી અપાઈ નહીં
સુરતના નાસીરનગર ડિમોલેશન મામલે પાલિકા કચેરી ખાતે કમિશનરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી ત્યારબાદ એસઆઈટી વડા મીના ગજ્જરે મીડિયા સમક્ષ તપાસ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી નહીં.
સુરતના નાસીરનગર ડિમોલેશન કેસની તપાસ ક્યાં સુધી પહોંચી છે તે અંગે મીડિયાના સવાલો સામે એસઆઈટી વડા મીના ગજ્જર મૌન જોવા મળ્યા હતાં. પત્રકારોએ વારંવાર પૂછપરછ કરવા છતાં તેમણે કોઈ સીધો જવાબ આપ્યો નહીં અને ગોળમટોળ જવાબો આપતા રહ્યા હતાં. અંતે વધુ પ્રશ્નો પૂછાતા મીના ગજ્જરે થેન્ક્યુ કહી વાતચીત પૂર્ણ કરી દીધી અને સ્થળ પરથી નીકળી ગયા હતાં.
