સુરતમાં ખંડણી કાંડમાં ઝડપાયેલા આપ નેતા શ્રવણ જોષીની અટકાયત
જેલમાંથી બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી
શ્રવણ જોષીએ કહ્યું ઝુકુંગા નહી આખરી શ્વાસ તક લડુંગા
સૂરત ગોડાદરાના ખંડણી કાંડમાં ઝડપાયેલા આપ નેતા શ્રવણ જોષીને જામીન મળતા જ તે જેલમાંથી બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી હતી.
અનાજ વેપારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોષી સામે ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે શ્રવણ જોષીની ધરપકડ કરી હતી. અને તે જેલમાં હતો. એક પછી એક બે ફરિયાદમાં જામીન મળતા સોમવારે શ્રવણ જોષી જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને શ્રવણ જોષીની અટકાયત કરી હતી. તો આ સમયે શ્રવણ જોષીએ ઝુકુંગા નહી આખરી શ્વાસ તક લડુંગા તેમ કહ્યુ હતું.
