સુરતમાં સ્ક્રેપના વેપારના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી
આરોપીઓને ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યા
ઠગ સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોપાલ ગોયલને ઝડપ્યા
સુરતમાં સ્ક્રેપના વેપારના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીઓને ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યા છે.
સુરતના વેપારી નવનીત શરાફને સત્યનારાયણ ગોયલ, રંજના ગોયલ, રીમા ગોવિંદ ગોયલ સહિતનાઓએ સ્ક્રેપના વેપારના નામે વાતોમાં ભોળવી તઓ પાસેથી 4 કરોડ 90 લાખ રૂપિયાથી વધુ પડાવી લઈ ઠગાઈ આચરાઈ હોય જે અંગે વેસુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોય જે ફરિયાદના આધારે તપાસ કરી રહેલી આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે બે ઠગો સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોપાલ ગોયલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.તો અગાઉ આ ગુનામાં રંજના સત્યનારાયણ ગોયલ અને રિમા ગોવિંદ ગોયલની ધરપકડ કરાઈ હતી.
