અરવલ્લી :યાત્રાધામ શામળાજી ખાતે આજે તુલસી વિવાહ

Featured Video Play Icon
Spread the love

યાત્રાધામ શામળાજી ખાતે આજે તુલસી વિવાહ
મનોરથ ભારે ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવાયો
ભગવાન વિષ્ણુ અને તુલસીજીના વિવાહના દિવ્ય દર્શન કર્યા

યાત્રાધામ શામળાજી ખાતે આજે તુલસી વિવાહ મનોરથ ભારે ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવાયો હજારો ભક્તોએ ભગવાન વિષ્ણુ અને તુલસીજીના વિવાહના દિવ્ય દર્શન કર્યા

કારતક સુદ એકાદશી એટલે દેવ ઉઠી અગિયારશ આજે ભગવાન વિષ્ણુ શયન માંથી જાગૃત થયા છે અને આજ દિવસે તુલસીજી ના લગ્ન ભગવાન નારાયણ સાથે થયા છે ત્યારથી દર કારતક સુદ અગિયારશ ના દિવસે તુલસી વિવાહ મનોરથ ઉજવાય છે ત્યારે આજે યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત તુલસી વિવાહ મનોરથ ની ઉજવણી કરાઈ જેમાં ભગવાન વિષ્ણુ ના સ્વરૂપ ને સુંદર શણગારેલી બગી માં બિરાજમાન કરી વજેતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો જેમાં બેન્ડ વાજા સાથે વર પક્ષ કન્યા પક્ષ અને મામેરિયા તથા ભક્તો મોટી સંખ્યામાં વરઘોડા માં જોડાયા અને નાચતા કુદતા મંદિર પહોંચ્યા આજે શામળાજી મંદિર ને પણ સુંદર મજાનો શણગાર કરાયો છે રંગબેરંગી રોશની અને મંદિર પરિસર માં ભગવાન ના લગ્ન વિધિ માટે ખાસ ચોરી શણગારવમાં આવી છે જ્યાં ઠાકોરજી ને વિધિસર પોખવા માં આવ્યાં અને કન્યા પક્ષ દ્વારા શામળિયા ને લગ્ન ચોરી માં બિરાજમાન કરવામાં આવ્યા ચારે વેદ ના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સહિત ભગવાન ના તુલજી સાથે લગ્ન કરાયા ખાસ આજના આ મનોરથ માં 1008 અખિલેશ દાસજી મહંત ની પ્રેરક ઉપસ્થિતિ અને આશીર્વાદ રહ્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આખા ઉત્સવ માટે સંપૂર્ણ તૈયારી કરાઈ હતી ભક્તો ને દર્શન માટે તકલીફ ન પડે એ માટે અલાયદુ આયોજન કરાયું હતું આમ ભારે શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક યયાત્રાધામ શામળાજી માં તુલસી વિવાહ મનોરથ સંપન્ન થયો..
ખાસ આજના આ મનોરથમાં 1008 અખિલેશ દાસજી મહંતની પ્રેરક ઉપસ્થિતિ અને આશીર્વાદ રહ્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આખા ઉત્સવ માટે સંપૂર્ણ તૈયારી કરાઈ હતી ભક્તો ને દર્શન માટે તકલીફ ન પડે એ માટે અલાયદુ આયોજન કરાયું હતું આમ ભારે શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક યયાત્રાધામ શામળાજી માં તુલસી વિવાહ મનોરથ સંપન્ન થયો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *