કુખ્યાત સુરતના ચિરાગ ગોટીના કાંડનો રેલો પહોંચ્યો બીલીમોરા

Featured Video Play Icon
Spread the love

કુખ્યાત સુરતના ચિરાગ ગોટીના કાંડનો રેલો પહોંચ્યો બીલીમોરા
માર ખાનાર પાર્થ મિયાણીએ નોંધાવી પોલીસ ફરિયાદ
ગોટીની પત્નીએ તેના ત્રાસના કારણે આત્મહત્યા કરી

કુખ્યાત સુરતના ચિરાગ ગોટીના કાંડનો રેલો પહોંચ્યો બીલીમોરા પોલીસ સ્ટેશને વાયરલ વિડિઓમાં ઢોર માર ખાનાર ભોગ બનેલ ઈસમે નોંધાવી ફરિયાદ

કુખ્યાત ચિરાગ ગોટીના કાંડનો રેલો પહોંચ્યો છે. ગોટીના ઢોર મારનો ભોગ બનેલા પાર્થ મિયાણીએ બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. માર મારવાની ઘટના બીલીમોરા પોલીસ મથક વિસ્તારમાં બની હોવાથી અહીં ગુનો નોંધાયો છે.

પાર્થ મિયાણી ગોટીની કંપનીમાં નોકરી કરતો હતો. તેણે ખુલાસો કર્યો છે કે ગોટીની પત્નીએ તેના ત્રાસના કારણે આત્મહત્યા કરી હતી. બીલીમોરા પોલીસે ચિરાગ ગોટી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, ચિરાગ ગોટી સામે અપહરણ, ખંડણી, ગેરકાયદે અટકાયત અને ગુનાહિત કાવતરા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ તેની સામે વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *