સુરતની ઉત્રાણ પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
મારામારીના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી
માથાભારે આરોપી સુર્યદીપ ઉર્ફે સુરજ ભરત વિરડીયાને ઝડપ્યો
સુરતની ઉત્રાણ પોલીસે મારામારીના ગુનામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા, મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાને લઈ પીઆઈ એસબી પઢેરીયા અને એનજી પટેલની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો મહેન્દ્રકુમાર અને અપોકો હરદેવસિંહ તથા કાનજીભાઈને મળેલી બાતમીના આધારે છેલ્લા ત્રણ મહિનાથી મારામારી જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા માથાભારે આરોપી સુર્યદીપ ઉર્ફે સુરજ ભરત વિરડીયાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
