કે.પી.ગ્રુપ તેમજ પી.પી.સવાણી ગ્રુપ દ્વારા શરૂ કરેલ
હિન્દુ માટે ચારધામ તેમજ મુસ્લિમ દીકરીઓ માટે ઉમરાહ જાત્રા
સુરત. દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી.સવાણી ગ્રુપ તેમજ કે.પી.ગ્રુપ સંગાથે તા. ૧૬/૬/૨૦૨૫ થી ૮/૭/૨૦૨૫ સુધી નાત-જાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ૩૦૦ ગંગા સ્વરૂપ બહેનો માટે “ચારધામ યાત્રા” તેમજ જુલાઈ ૨૦૨૫માં મુસ્લિમ દીકરી-જમાઈઓ માટે ૧૫ દિવસની ઉમરાહ, મક્કા-મદીના, સાઉદી અરેબિયાની યાત્રાએ મોકલવા જઈ રહ્યા છીએ.
ચારધામ યાત્રાનો ઉદ્દેશ પી.પી.સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેનો સંબધને વધુ ગાઢ બનાવા માટેનો છે જેથી કરી આ તમામ દીકરીઓના લગ્ન જીવનને વધુ મજબુત બનાવી શકાય. આ હિન્દુ-મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની જાત્રા મોકલવા માટે ડૉ.ફારુક પટેલ, ચેરમેન-એમડી, કેપી ગ્રુપ અને પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મળીને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ-મુસ્લિમ ભાઈ-ભાઈની લાગણી દર્શાવતો એક અનોખું ઉદાહરણ આપ્યું છે. સુરતના ડૉ.ફારુક પટેલ, ચેરમેન-એમડી, કેપી ગ્રુપ જે પી.પી.સવાણી યુનિવર્સિટીમાં ડીગ્રી/ડિપ્લોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે પણ “ઉર્જા નુર સ્કોલરશીપ” (મફત ઉચ્ચ શિક્ષણ) ની સેવા આપી રહ્યા છે.તા.૧૬/૬/૨૦૨૫ થી પ્રારંભ થનાર આ પવિત્ર ધાર્મિક યાત્રામાં ૩૦૦ થી વધુ બહેનો પ્રયાગરાજ ત્રિવેણી સંગમ, વારાણસી, છાપૈયા અને અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરી કુલ ૬ દિવસના રહેવા-જમવા સહિતની સગવડ સાથે ટ્રેનમાં સ્લીપર કોચમાં ઉધના સ્ટેશનથી કંકુ તિલક કરી ખુશ-ખુશાલ રવાના કરવામાં આવશે. જે અંતર્ગત તા. ૧૩/૬/૨૦૨૫, શુક્રવારના રોજ “મિતુલ ફાર્મ” પ્રાણી સંગ્રાહલયની પાછળ, વરાછા રોડ, સુરત ખાતે ટુર વિશે વિશેષ સમજુતી અને આયોજન માટે મીટીંગની આયોજન કર્યું છે