સુરતમાં હોળી ધુળેટીના પર્વને લઈ રેલ્વે સ્ટેશને ધસારો
રેલ્વે વિભાગ દ્વારા પહેલાથી જ વ્યવસ્થા કરાઈ
ભીડને પહોંચી વળવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરતમાં હોળી ધુળેટીના પર્વને લઈ વતને જનારાઓ ઉધના રેલ્વે સ્ટેશને પહોંચતા ધસારો થયો હતો જો કે રેલ્વે વિભાગ દ્વારા પહેલાથી જ વ્યવસ્થા કરાઈ હોય કોઈ સમસ્યા સર્જાઈ ન હતી.
હોળી ધુળેટીને લઈને સુરતથી વતન જવા માટે લોકો રવાના થઈ રહ્યા છે. સુરતના યુપી બિહારના કામદારો તહેવારોની ઉજવણી કરવા પરિવાર સાથે વતન જતા હોય ત્યારે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ જોવામળી હતી. ભીડને પહોંચી વળવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હાલ મુસાફરો માટે રેલ્વે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
