દાહોદ શહેર નજીક રળિયાતી ગામે હત્યા કરાઈ
બાંધકામ સાઇટ પર ચોકીદાર તરીકે નોકરી કરતા 50 વર્ષિય ઇસમની હત્યા
દાહોદ શહેર નજીક રળિયાતી ગામે બાંધકામ સાઇટ પર એક ઇસમની હત્યા કરાઈ
દાહોદ શહેર નજીક રળિયાતી ગામે બાંધકામ સાઇટ પર ચોકીદાર તરીકે નોકરી કરતા 50 વર્ષિય ઇસમની પથ્થરો ના ઘા મારી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. છેલ્લા એક મહિના થી બાંધકામ સાઇટ પર ચોકીદાર તરીકે ફરજ બજાવતા ઇસમની અગમ્ય કારણોસર હત્યા કરવામાં આવી, મોડી રાત્રે બાંધકામ સાઇટ પર પથ્થરોના ઘા મારી હત્યા કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે પહોચયોહતો, પોલીસે લાશને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી
