સુરત મહાનગર પાલિકા દ્વારા ખાતમુર્હત કરાયુ
સાઉથ ઝોન બી ખાતે સાકાર થયેલા રેલ્વે ઓવર બ્રિજના વાઈડનીંગનુ લોકાર્પણ
સચીન સાતવલ્લા સર્લ પાસે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપીઓ ઉપસ્થિત
સુરત મહાનગર પાલિકા દ્વારા સાઉથ ઝોન બી ખાતે સાકાર થયેલા રેલ્વે ઓવર બ્રિજના વાઈડનીંગનુ અને આરોગ્ય કેન્દ્ર, શાંતિકુજ સહિતના પ્રક્લપોનુ ખાતમુર્હત કરાયુ હતું.
સુરત મહાનગર પાલિકા દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે સાઉથ ઝોન બી કનકપુર વિસ્તારમાં 3539.77 લાખના ખર્ચે સુરતથી સચીન થઈ નવસારી જતા 90 મીટરના સ્ટેટ હાઈવે પર આવેલ હયાત રેલ્વે ઓવર બ્રિજના વાઈડનીંગનુ અને 912.93 લાખના ખર્ચે સાકારિત તળાવ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાંતિકુંજનુ લોકાર્પણ તથા 8017.68 લાખના ખર્ચે સાકારિત થનાર વિવિધ પ્રકલ્પોનુ લોકાર્પણ અને ખાતમુર્હિત કર્યુ હતું. સુરતના સચીન સાતવલ્લા સર્લ પાસે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
