સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસ મય વાતાવરણ
ખેડૂતોને પાકના નુકશાનીની ભીતી
કેરીના પાકના મોરવાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસ મય વાતાવરણ સર્જાતા ખેડૂતોને પાકના નુકશાનીની ભીતી સતાવી રહી છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસમય વાતાવરણને લઈ ખેડૂતોને નુકસાનીની ભીતિ સતાવી રહી છે. કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. તો ઘઉં અને ચીકુના પાકને પણ નુકસાન થવાની શક્યતા સાથે ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી. તો ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યુ હતુ કે આ ધુમ્મસને વાતાવરણ કેરીના પાકને નુકસાન પહોંચાડશે. કેરીના પાકના મોરવાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે. સાથે ઘઉં પકવતા ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતી છે. તો ચીકુના પાકને પણ ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે.
