સંસ્કારતીર્થ જ્ઞાનપીઠનો ડંકો CBSE ધોરણ 10માં મેળવ્યું 100% પરિણામ

Featured Video Play Icon
Spread the love

સંસ્કારતીર્થ જ્ઞાનપીઠનો ડંકો CBSE ધોરણ 10માં મેળવ્યું 100% પરિણામ
સફળતાનું શિખર 14 વિદ્યાર્થીઓએ ‘A1’ અને 49 વિદ્યાર્થીઓએ મેળવ્યો ‘A2’ ગ્રેડ.
ભવ્ય વિજયોત્સવ ફટાકડા અને મીઠાઈ સાથે શાળા પરિસરમાં ઉજવણીનો માહોલ.

શિક્ષણ જગતમાંથી એક ખૂબ જ ગૌરવશાળી સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2026ના સીબીએસઈ ધોરણ 10ના પરિણામોમાં સંસ્કારતીર્થ જ્ઞાનપીઠે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. શાળાએ સતત પ્રગતિની પરંપરા જાળવી રાખી 100% પરિણામ હાંસલ કર્યું છે.

સંસ્કારતીર્થ જ્ઞાનપીઠના વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 10ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવીને શાળા અને વાલીઓનું નામ રોશન કર્યું છે. આ વર્ષે શાળામાંથી કુલ 146 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને ગૌરવની વાત એ છે કે તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા શાળાએ 100% રિઝલ્ટ મેળવ્યું છે.A1 ગ્રેડ 14 તેજસ્વી વિદ્યાર્થીઓએ ટોચનું સ્થાન મેળવ્યું.A2 ગ્રેડ 49 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સિદ્ધિ હાંસલ કરી હતી પરિણામ જાહેર થતા જ શાળા પરિવારમાં હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું હતું. શાળાના મેનેજમેન્ટ, આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવાયું અને આકાશ ફટાકડાના ગુંજારવથી ભરાઈ ગયું હતું.શાળાના આચાર્યશ્રીએ આ સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનને આપ્યો છે. વાલીઓએ પણ શાળાની શિક્ષણ પદ્ધતિ પર સંતોષ વ્યક્ત કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *