સુરત : આશિષ તિવારી સામે બીએનએસ કલમ હેઠળ ગુનો દાખલ કરવા માંગ
રાજુકુમાર મૌર્યાએ સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું
હિસ્ટ્રીશીટર આશિષ તિવારી સામે બીએનએસ કલમ હેઠળ ગુનો દાખલ કરવા સુરતમાં માંગ કરવામાં આવી છે.
સુરતમાં રહેતા દ્વારકેશ નગરમાં રહેતા રાજુકુમાર મૌર્યાએ સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી જણાવાયુ હતું કે ઉત્તર પ્રદેશના રાયબરેલીના સલોન મટકામાં રહેતા આશિષકુમાર બ્રિજેશકુમાર તિવારી એ સોશીયલ મીડિયામાં મહાન પુરૂષ વિશ્વ વિજેતા સમ્રાટ અશોક મહાનનું અપમાન કર્યુ નથી પરંતુ સમગ્ર મૌર્ય સમાજને અપશબ્દો કહ્યા છે અને માતૃ ભાષા વિષયક ગંદી ગાળો બોલી શિર કપાઈને દેશભરમાં ફેરવવાનો ધમકી જનક અને અશોભનીય શબ્દપ્રયોગ કર્યો છે તેમ કહ્યુ હતું. તો આ અંગે તેની સામે બીએનએસ કલમ 196, 299, 352, 353, 351(1) અને 197 હેઠળ ગુનો નોંધવા માંગણી કરી હતી.
