અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સોના-ચાંદીની ખરીદીની વર્ષો જૂની છે પરંપરા
સુરતમાં અક્ષય તૃતીયામાં સોનાની ખરીદી 40-50 ટકા ઘટાડો
આજે સોનાનો 10 ગ્રામ નો ભાવ 99 હજાર રૂપિયા
એડવાન્સ બુકિંગમાં પણ 40-50% સુધી ઘટાડો નોંધાયો
અક્ષય તૃતીયાએ પરંપરાગત સોનાં-ચાંદીની ખરીદી થતી હોય છે, પરંતુ આ વર્ષે આ પરંપરામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સોનાં અને ચાંદીના ભાવ આકાશે પહોંચતા ગ્રાહકો ખરીદીથી દૂર રહ્યા છે.
અક્ષય તૃતીયા પર સુખ-સમૃદ્ધિના પ્રતિક રૂપે સોનાં-ચાંદીની ખરીદી થતી હોય છે, પરંતુ આ વર્ષે આ પરંપરામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સોનાં અને ચાંદીના ભાવ આકાશે પહોંચતા ગ્રાહકો ખરીદીથી દૂર રહ્યા છે. આ વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 99,000 સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષની તુલનામાં લગભગ 34 હજાર રૂપિયા વધુ છે. ગયા વર્ષે આ દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 65,000 હતો. ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત વધારો નોંધાયો છે – હાલમાં ચાંદીનો દર રૂ. 99,000 પ્રતિ કિલો છે, જ્યારે ગયા વર્ષે તે રૂ. 65,000થી 70,000 વચ્ચે હતો. ભાવ આ રેકોર્ડ સ્તરે પહોંચતા માત્ર ખરીદી જ નહીં, એડવાન્સ બુકિંગમાં પણ 40-50% સુધી ઘટાડો નોંધાયો છે. વેપારીઓ કહે છે કે સામાન્ય રીતે અક્ષય તૃતીયાએ સોનું ખરીદવા લોકો આવતા હોય છે પણ ભાવ વધવાને લઇ ઘરાકી જોવા મળી નથી.