સુરતના ભેસ્તાન વિસ્તારમાં જૂની અદાવતમાં હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાન વિસ્તારમાં જૂની અદાવતમાં હત્યા
ખુલ્લા મેદાનમાં સતીશ મરાઠા નામના વ્યક્તિની હત્યા
પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

સુરતના ભેસ્તાન વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક વ્યક્તિની નિર્મમ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સરસ્વતી આવાસની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં સતીશ મરાઠા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં મોડી સાંજે જૂની અદાવત ફરી એકવાર લોહિયાળ બની હોવાનું સામે આવ્યું છે. સરસ્વતી આવાસની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં સતીશ મરાઠા નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ ભેસ્તાન પોલીસનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જોકે હત્યા કયા કારણોસર કરવામાં આવી, કેટલા હુમલાખોરો હતા અને આરોપીઓ કોણ છે તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. હાલ ભેસ્તાન પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોના નિવેદનો તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હત્યાકાંડનું સાચું કારણ અને ઘટનાક્રમ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *