સુરતની કિરણ હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપો
નવજાત બાળકના મોતને લઈ પરિવારજનો આક્ષેપો
નોર્મલ ડિલિવરી કહીને ડોક્ટરો દ્વારા ગંભીર બેદરકારી
સુરતની કિરણ હોસ્પિટલ સામે એક નવજાત બાળકના મોતને લઈ પરિવારજનોએ બેદરકારીના આક્ષેપો કર્યા હતાં.
સુરતની હોસ્પિટલો સામે બેદરકારીના વારંવાર આક્ષેપો થતા હોય છે ત્યારે સુરતની કિરણ હોસ્પિટલ સામે આક્ષેપો કરાયા છે. જેમાં ડીલેવરી સમયે નવજાત બાળકને સારવાર નહીં મળતા મૃત્યુ થતાં પરિવારજનોનો હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. નોર્મલ ડિલિવરી કહીને ડોક્ટરો દ્વારા ગંભીર બેદરકારી રાખી હોવાના આક્ષેપો કરાયા હતાં. હોસ્પિટલમાં પોલીસે આવીને મામલાની ગંભીરતા ધ્યાને લઈ તપાસ શરૂ કરી છે. તો પરિવાર દ્વારા યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની માંગ કરાઈ હતી.
