સુરતમાં અન્યોની મિલ્કતો પર કબ્જો કરનારાઓ સામે લાલ આંખ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અન્યોની મિલ્કતો પર કબ્જો કરનારાઓ સામે લાલ આંખ
વિધવા મહિલાની વડીલો પાર્જીત મિલ્કત પર કબ્જો
એસઓજીએ મિલ્કત પરત અપાવતા વિધવા મહિલાએ આભાર માન્યો

સુરતમાં અન્યોની મિલ્કતો પર કબ્જો કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે વિધવા મહિલાની વડીલો પાર્જીત મિલ્કત પર કબ્જો કરનાર પાસેથી સુરત એસઓજીએ મિલ્કત પરત અપાવતા વિધવા મહિલાએ પોલીસનો આભાર માન્યો હતો.

સુરતમાં અસામાજિક તત્વો અન્યોની દુકાન અને મકાનો પર કબ્જો કરી દાદાગીરી કરતા હોય છે. ત્યારે આવી જ રીતે મહિધરપુરા ઘોડિયા બાવાના મંદિરની ગલીમાં વિધવા શિલાબેન રાવલની વડિલો પાર્જીત મિલ્કત પર કેટરસનુ કામ કરતા વિપુલ ઈન્દ્રવદન કંસારાએ કબ્જો કર્યો હતો. પહેલા એક વર્ષ માટે જગ્યા બાડે રાખ્યા બાદ કબ્જો કરતા વિધવા શિલાબેનએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આપવિતી રજુ કરી હતી જેને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાએ ત્વરિત મદદ કરી કબ્જો કરનાર વિપુલ કંસારા પાસેથી મિલ્કતનો કબ્જો રાજીખુશીથી વિધવા શિલાબેન રાવલને પરત અપાવતા તેઓએ પોલીસનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *