સુરતમાંથી ભેળસેળયુક્ત હજ્જારો કિલો ઘી
ઘી ઝડપાવવા મામલે આરોગ્ય મંત્રીએ આપ્યું નિવેદન
ડુપ્લીકેટ વસ્તુ બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે.
સુરતમાંથી ભેળસેળયુક્ત હજ્જારો કિલો ઘી ઝડપાવવા મામલે આરોગ્ય મંત્રીએ નિવેદન આપી જણાવ્યુ હતુ કે ડુપ્લીકેટ વસ્તુ બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે.
સુરત શહેરમાંથી ડુપ્લીકેટ ઘી પકડવા મામલો ગુજરાત આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનસુરીયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યુ છે. પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યુ હતું કે આવા ડુપ્લીકેટ વસ્તુ બનાવતા લોકો સામે કડક કાર્યવાહી થશે. ડુપ્લીકેટ પનીર કે ઘી કોઈપણ વસ્તુ બનાવશે તેની સામે પોલીસ હવે કાર્યવાહી કરશે. ગુજરાતની અંદર તમામ શહેરોમાં સૂચના આપવામાં આવી છે. અને પોલીસની ટીમને અભિનંદન આપું છું કે આ કાર્યવાહી કરી રહી છે. પોલીસ અને આરોગ્ય ની ટીમ રાખી ભવિષ્યમાં સતત આવી કાર્યવાહી ચાલુ રાખશે.
