સુરતમાં લગ્નની લાલચે ભગાડી જઈ બળાત્કાર
બળાત્કાર ગુજારનાર નરાધમને પુણા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપ્યો
સુશીલ છોટેલાલ પાલને મહારાષ્ટ્રના વસઈ ખાતેથી ઝડપ્યો
સુરતમાં લગ્નની લાલચે ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર નરાધમને પુણા પોલીસે મહારાષ્ટ્રના વસઈ ખાતેથી ઝડપી પાડી અપહ્યતને મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી હતી.
સુરત પોલીસ કમિશનર ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ વીએમ દેસાઈની ટીમ પીએસઆઈ પીએલ કળથીયાના માર્ગદર્શન હેઠલ તપાસમાં હતી ત્યારે પીએસઆઈ એનડી વેકરીયા, અહેકો સિધ્ધરાજસિંહ, અપોકો ભાવેશભાઈને મળેલી બાતમીના આધારે લગ્નની લાલચે બળાત્કાર ગુજારનાર આરોપી મુળ યુપીનો અને હાલ મુંબઈ ખાતે રહેતા સુશીલ છોટેલાલ પાલને મહારાષ્ટ્રના વસઈ ખાતેથી ઝડપી પાડી અપહ્યતને મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી હતી.
