કેટલાંક લોકો તો રાત્રે ડુંગળી કાપીને ફ્રીજમાં મુકી દેવાની આદત હોય છે. તો ઘણાં લોકો તો વળી બબ્બે દિવસ જુની કાપેલી ડુંગળી ફ્રીજમાંથી કાઢીને ખાય છે. જો તમને પણ આ પ્રકારની આદત હોય તો અત્યારથી જ ચેતી જજો કારણકે, આ આદત તમારા માટે મુસીબત બની શકે છે. તમારી આ આદત તમને અને તમારા પરિવારને બીમાર બનાવી શકે છે.
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખાવાના આમ તો ઘણાં બધા ફાયદા છે. અમુક બીમારીઓમાં ડુંગળીનું સેવન ખુબ જ ઉપયોગી નિવડે છે. પણ જો આજ ડુંગળીને ફ્રીજમાં મુકી રાખી તેનું સેવન કરશો તો અકસીર ઈલાજ સમાન ડુંગળીની ઝેરમાં રૂપાંતર થઇ શકે છે.
મોટાભાગના લોકો દરરોજ આહારમાં ડુંગળીનો ઉપયોગ કરતા હોય છે. કહેવાય છે કે, ડુંગળી દુનિયાભરમાં સૌથી વધારે વેચાતી, વપરાતી અને ખવાતું શાકભાજી છે. ઓનિયન ઈઝ લાર્જેસ્ટ સેલિંગ વેજિટેબલ ઈન ધ વર્લ્ડ – શાકથી લઈને સલાડમાં ઉપયોગ થતી ડુંગળીમાં ઔષધીય એંટી બેક્ટીરિયલ અને એંટી ઈંફ્લેમેંટ્રી ગુણ હોય છે. પણ જો તેને કાપીને કે છોલીને ફ્રીઝમાં સ્ટોર કરી મૂકો છો અને તેનું સેવન કરો છો તો એ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
ઘણીવાર મહિલાઓ ભોજન બનાવવા માટે તેની તૈયારી કરતા પહેલાથી જ શાક અને સલાડ માટે ડુંગળી પહેલાથી કાપીને ફ્રિઝમા મૂકી દે છે. પરંતુ કાપેલી ડુંગળી બહુ જલ્દી ખરાબ થઇ જતી હોય છે. તેમા જલ્દીથી બેક્ટીરિયા લાગે છે અને ઑક્સીડાઈજ થયા પછી તે લાભદાયી કરતા ગેરલાભદાયી વધુ નીવડે છે. જે તમારા આરોગ્ય માટે ખૂબ હાનિકારક થઇ જતી હોય છે તેથી હમેશા જ્યારે શાક કે સલાડ બનાવો ત્યારે જ ડુંગળી કાપવી જોઈએ.