સુરતમાં સિંધી સમાજની આક્રોશ રેલી
ઝુલેલાલ ભગવાનના અપમાન સામે વિરોધ
અમિત બઘેલના નિવેદન સામે સિંધી સમાજનો આક્રોશ
સિંધી સમાજ દ્વારા શ્રી ઝુલેલાલ ભગવાનનુ અપમાન કરનાર છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા ના વિરોધમાં આક્રોશ રેલીનુ આયોજન સુરતમાં કરાયુ હતું.
સુરતમાં રહેતા સિંધી સમાજ દ્વારા આક્રોશ રેલીનુ આયોજન કરાયુ હતું. વાત એમ છે કે છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બઘેલ દ્વારા સિંધી સમુદાયના શ્રી ઝુલેલાલ ભગવાનનુ અપમાન કરાયુ હોય જેને લઈ સિંધી સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અને તેના વિરોધમાં ગુરૂવારે સવારે રામનગર ખાતે સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બઘેલનો વિરોધ કર્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં સિંધી સમુદાયના ભાઈઓ અને બહેનો રેલીમાં જોડાયા હતાં.
