નર્મદામાં દારૂ મુદ્દે મંત્રી પી.સી.બરંડાનું મોટું નિવેદન

Featured Video Play Icon
Spread the love

નર્મદામાં દારૂ મુદ્દે મંત્રી પી.સી.બરંડાનું મોટું નિવેદન
મંત્રીએ કહ્યું આદિવાસીઓ દારૂ પીવે છે
મંત્રીના નિવેદન પર સાંસદ મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે ખુદ સરકારના જ આદિજાતી વિકાસ મંત્રી પી.સી.બરંડાના નિવેદને ભારે વિવાદ સર્જ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રી પોતાના પોલીસ અધિકારી તરીકેના કાર્યકાળને યાદ કરતા દારૂબંધીમાં ઢીલ મૂકવાની હિમાયત કરતા નજરે પડે છે. તેમણે આદિવાસી સમાજમાં દારૂના સેવનને સામાન્ય ગણાવીને “થોડું ઘણું ચલાવી લેવાની” વાત કરી છે. આ નિવેદન બાદ વિપક્ષ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી છે અને મંત્રી પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે. ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રી પી.સી. બરંડા, જેઓ ભૂતકાળમાં પોલીસ અધિકારી રહી ચૂક્યા છે, તેમનો 13 નવેમ્બરનો એક વીડિયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક જાહેર સભામાં સંબોધન દરમિયાન અતિ ઉત્સાહમાં આવીને મંત્રીએ દારૂબંધીની નીતિ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાના પોલીસ વિભાગના અનુભવો શેર કરતા કહ્યું હતું કે દારૂબંધી હોવા છતાં, વ્યવહારિક રીતે તેનું “થોડું ઘણું ચલણ ચલાવવું પડે છે. ત્યારે ભાજપના સાંસદસાંસદ મનસુખ વસાવાએ મંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાજકરણ ગરમાયુ છે

વાયરલ વીડિયોમાં મંત્રી એવું કહેતા સાંભળવા મળે છે કે આદિવાસી વિસ્તારમાં દારૂનું સેવન પરંપરાગત રીતે થતું હોય છે. એક જવાબદાર મંત્રી તરીકે રાજ્યની દારૂબંધી નીતિનો બચાવ કરવાને બદલે, તેમણે દારૂના ચલણને આડકતરો ટેકો આપ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. સરકારના જ પ્રતિનિધિ દ્વારા દારૂબંધી વિરોધી સૂર વ્યક્ત થતાં અનેક સવાલો ઉભા થયા છે. પી.સી. બરંડાના આ બફાટ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીએ સરકારને આડે હાથ લીધી છે. તુષાર ચૌધરીએ મંત્રી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, “જો મંત્રી દારૂ ચલાવી લેવાની વાત કરતા હોય, તો તેનો અર્થ એ છે કે જ્યારે તેઓ પોલીસ અધિકારી હતા ત્યારે તેમણે દારૂના ધંધાર્થીઓ પાસેથી ‘હપ્તા’ લીધા હોવા જોઈએ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *