બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે.પટેલ
જે. જે.પટેલ અરવલ્લી જિલ્લાના વકીલોની મુલાકાતે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે જે પટેલ દ્વારા અરવલ્લી જિલ્લાના મેઘરજ માલપુર ધનસુરા મોડાસા ભિલોડા સહિત વિવિધ કોર્ટોના વકીલોના પ્રશ્નોને વાચા આપવા માટે અને તેમને પડતી મુશ્કેલીઓનું નિવારણ માટે જે.જે પટેલ દ્વારા જિલ્લાના તમામ વકીલોની મુલાકાત લેવામાં આવી હતી,
તે પ્રસંગે બહાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે જે પટેલ મેઘરજ નામદાર પ્રિન્સિપાલ અને સિવિલ કોર્ટમાં આવતા વકીલો દ્વારા ઉષ્માભેર ઉષ્માભેર ફૂલહાર અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ ચેરમેન જે જે પટેલ દ્વારા વકીલો સાથે મુલાકાત કરી વકીલોના હિત જેમકે પ્રોટેક્શન એક્ટ, એડવોકેટ ઇન્સ્યોરન્સ, નોટરી અંતર્ગત પ્રશ્નોનું નિવારણ તેમજ વકીલોને પડતી મુશ્કેલીઓનું નિવારણ સહીત ના વિષય ઉપર વિવિધ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને વકીલોના હિત માટે હંમેશા આગળ રહેવા જણાવ્યું હતું આ પ્રસંગે મેઘરજ કોર્ટ ના સરકારી વકીલ મેઘરજ બારના તમામ વકીલ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા….
