સુરત કતારગામ ઝોનમાં આવેલ આધાર કાર્ડ સેન્ટર બંધ
આધાર કાર્ડ સેન્ટર બંધના બોર્ડ મરાતા લોકોને હેરાન
કલેકટર અને કમિશનરને પણ ફરિયાદ કરાઈ
સુરત મનપાની કતારગામ ઝોનમાં આવેલ આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાનો બોર્ડ મરાતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે જેને લઈ કલેકટર અને કમિશનરને પણ ફરિયાદ કરાઈ હતી.
સુરતના કતારગામ ઝોનમાં આવેલા આધાર કાર્ડનું સેન્ટર બંધ છે તેવો બોર્ડ મારવામાં આવતા લોકો હેરાન થઈ રહ્યા છે. ઓપરેટર ન હોવાના કારણે આધાર સેન્ટર બંધ છે. તો આ અંગે જાગૃત નાગરિકે જણાવ્યું હતુ કે ઓપરેટરોને 7 થી 8 મહિનાથી પગાર મળ્યો નથી, આ મામલે તેમણે કમિશ્નર અને કલેકટરને ફરિયાદ પણ કરી છે. આધાર કાર્ડ અગત્યનો પુરાવો હોય છે ત્યારે સુરત મનપાના કતારગામ ઝોનમાં આધાર કાર્ડ સેન્ટર હાલમાં બંધ છે. હાલ તો આધાર કેન્દ્ર બંધ હોવાના કારણે લોકોને ખુબ જ હાલાકી પડી રહી છે. કેટલા સમય સુધી આ આધાર કેન્દ્ર બંધ રહેશે તેની પણ કોઈ ચોક્કસ માહિતી નથી તેમ પણ જણાવાયુ હતું.
