જો તમારી આંખોમાંથી સતત પાણી નીકળતું હોય તો ચેતી જજો! ગંભીર બીમારીઓનો સંકેત હોઈ શકે છે
ઘણા લોકોને આંખોમાંથી પાણી નીકળવાની સમસ્યા હોય છે. ઠંડી હવા, ધૂળ, ધુમાડો અથવા લાંબા સમય સુધી કમ્પ્યુટર અને મોબાઇલ સ્ક્રીન જોવાને કારણે ઘણીવાર પાણી આવી શકે છે. આંખોમાં ચેપ, એલર્જી કે ધૂળના કણો હોય તો આ સમસ્યા વધુ વકરી શકે છે. વધતી ઉંમર સાથે, આંસુની નળીઓ નબળી પડી જાય છે, જેના કારણે વધુ પાણી વહેવા લાગે છે. ક્યારેક આ લક્ષણ આંખના કેટલાક ગંભીર રોગ સાથે પણ સંકળાયેલું હોઈ શકે છે. ચાલો જાણીએ.
જ્યારે આંખોમાં સતત પાણી આવે છે, ત્યારે તેની સાથે અન્ય ઘણા લક્ષણો પણ દેખાઈ શકે છે. જેમકે, આંખો લાલ થવી, બળતરા, ખંજવાળ, આંખોમાં ભારેપણું અનુભવવું સામાન્ય છે. સતત આંખમાં આંસુ ના કારણે પોપચાં ચોંટી શકે છે. જો આ સમસ્યા ચેપને કારણે હોય, તો પાણીની સાથે આંખમાંથી પરુ પણ નીકળી શકે છે. લાંબા સમય સુધી સ્ક્રીન જોયા પછી આંખો પણ સૂકી થઈ શકે છે, જેના કારણે વારંવાર પાણી આવે છે. તેથી, લક્ષણોને હળવાશથી ન લેવા અને સમયસર તેમને યોગ્ય રીતે ઓળખવા મહત્વપૂર્ણ છે. કયા રોગથી આંખોમાં પાણી આવે છે? – આંખના નિષ્ણાંતો મુજબ આંખોમાં સતત પાણી આવવું એ ઘણા રોગની નિશાની હોઈ શકે છે. સૌથી સામાન્ય કારણ કન્જક્ટિવાઈટીસ છે, જેમાં આંખો ફૂલી જાય છે અને પાણી અથવા પરુ નીકળે છે. કેટલાક કિસ્સાઓમાં, ગ્લુકોમા, કોર્નિયલ ચેપ અથવા આંસુ નળીમાં અવરોધ પણ જવાબદાર હોઈ શકે છે. બાળકોમાં, જન્મથી જ આંસુ નળી બંધ થવાને કારણે પાણી આવે છે. જો આંખોમાં સતત પાણી આવતું હોય અને દુખાવો, ઝાંખી દ્રષ્ટિ જેવા લક્ષણો હોય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. ધૂળ અને ધુમાડાથી આંખોનું રક્ષણ કરો. સ્ક્રીન પર કામ કરતી વખતે સમય પર વિરામ લો. વારંવાર આંખો ઘસશો નહીં. ચેપ અથવા એલર્જીના કિસ્સામાં, તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. બહાર જતી વખતે સનગ્લાસનો ઉપયોગ કરો.
