ગુજરાત પોલીસે ઘૂસણખોરો ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી
સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી
ત્રિકમનગર, જવાહર નગર, અંબિકા નગરમા પોલીસે ચેકિંગ કર્યું
ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી ત્યારે વરાછા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ત્રિકમનગર, જવાહર નગર, અંબિકા નગરમા પોલીસે ચેકિંગ કર્યું હતું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 25 એપ્રિલની મોડીરાતથી સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો ઝડપાયા હતા. જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે.શહેરના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી 135 શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી. ત્યારે આ કાર્યવાહી વરાછા પોલીસે દ્વારા પણ કરવામાં આવી હતી. વરાછા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ત્રિકમનગર, જવાહર નગર, અંબિકા નગરમા પોલીસે ચેકિંગ કર્યું હતું આ દરમ્યાન ત્યાં વસવાટ કરતા લોકોના ઓળખપત્ર પણ ચેક કરવામાં આવ્યા હતા અને તમામના નામ નોંધવામાં આવ્યા હતા.