મુખ્યમંત્રીના હસ્તે અરવલ્લીને 282 કરોડનાં વિકાસકાર્યોની ભેટ
મોડાસાના આયોનિક બસપોર્ટનું સીએમના હસ્તે લોકાર્પણ.
બસપોર્ટ, સબ ડીટ્રીક્ટ હોસ્પિટલ, સમરસ હોસ્ટેલનું લોકાર્પણ.
વિકસિત ભારત’ના નિર્માણ માટે નવ સંકલ્પ અપનાવવાની પહેલ
અરવલ્લીના મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવાસ દરમિયાન કુલ 282.78 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. જેમાં 75 કરોડના આઈકોનિક બસપોર્ટનું લોકાર્પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું. આ બસપોર્ટથી એસટી વિભાગના 662 રૂટ કાર્યરત થશે.
અરવલ્લીના મોડાસા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સાંસદ કાર્યાલય અને સમરસ હોસ્ટેલનું લોકાર્પણ અને 140 કરોડના રોડનું ભૂમિપૂજન સામેલ છે. આ પ્રવાસ દરમિયાન તેમણે ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે નવ સંકલ્પ અપનાવવાની પહેલ કરી હતી. જેના થકી અરવલ્લી જિલ્લાના વિકાસને પણ નવી દિશા મળશે. CM એ જણાવ્યું હતું કે ગામે ગામ પાકા રસ્તા, 24 કલાક વીજળી અને જનસુખાકારીના વિકાસ કાર્યો ગુજરાતમાં થયા છે. ગુજરાતમાં તીવ્ર વિકાસ થયો છે. 2013માં અરવલ્લી જિલ્લાની રચના કરાઇ ત્યારથી તેણે વિકાસકાર્યોમાં પાછું વળીને નથી જોયું. આજે 282 કરોડના વિકાસ કાર્યોની ભેટ અરવલ્લીને મળી છે.
કાર્યક્રમ દરમિયાન મંત્રી ભીખુસિંહ પરમારે અરવલ્લીને અલગ યુનિવર્સીટી મળે તેમજ મેશ્વો ડેમની પશ્ચિમે 45 કરતા વધુ ગામના ખેડૂતોને સિંચાઇ માટે કેનાલ મળે તે માટેની માગ કરી હતી, જેને લઇ મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે જે કામ થાય એ તો થાય પણ જે બાકી એ તો બાકી જ ને. યુનિવર્સિટી જોઇએ ને સારું તમારી માંગણી પર વિચાર કરીએ. આ જિલ્લામાં આરોગ્ય, અભ્યાસ અને અવરજવરના ત્રિવેણી સમો વિકાસ અવસર છે. નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં વિકાસની યાત્રા વિકસી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી